‘‘શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર - રાજકોટ’’ નું સંગઠન સ્થાપવાના ઉદે્શ અર્થે પ્રમુખ કાર્યકર્તાઓ વચ્ચે વિચાર વિમર્શ શરૂ થયો, બીજ રૂપી આ વિચારને અંકુરિત કરવા માટે વર્ષ ર૦૦૯ ના નવેમ્બર-ડીસેમ્બર માસમાં બેઠકોનો દોર શરૂ સર્વે કાર્યકર્તાઓની એક સમાન વિચારધારાના ફલ સ્વરૂપે તન-મન-ધનથી સેવા પ્રદાન કરવાનો સર્વેએ સંકલ્પ કર્યો. પરિણામ સ્વરૂપે ટ્રસ્ટનું બંધારણ ઘડાયું અને તે મુજબ કાર્યોની શુભ શરૂઆત થઈ.
પરિવાર ભાવના દ્રઢ બને, પુરૂષાર્થ દ્રારા એકબીજાની શકિતઓનો ઉપયોગ કરી પરિવારના વિકાસમાં તેમજ સમાજલક્ષી કાર્યોને વેગ આપી શકાય તે હેતુને ધ્યાને લઈ પ્રથમ સ્નેહમિલન, સમુહ ભોજન અને પરિચય પુસ્તિકા (ડીરેકટરી) ‘‘સમન્વય - ર૦૧૦’’ નું વિમોચન, આ ત્રિવેણી સંગમ સમયે કાર્યક્રમ વર્ષ-ર૦૧૦ (વિ.સં. ર૦૬૬) માં સૌરાષ્ટ્રભરનાં ૭ર ગામોના ૬૦૦ કુટુંબોની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો. આ કાર્યક્રમ થકી સમગ્ર વાછાણી પરિવારમાં અનોખી લાગણી, પ્રેમ અને ભાઇચારાની ભાવના દ્રઢ રીતે પ્રગટ થઇ.